સાર્વજનિક યુર્નિવર્સિટીનાં ૪થું દીક્ષાંત સમારૌહ બાબત.

1 min read

સુરત : સાર્વજનિક યુર્નિવર્સિટી, સુસ્ત, એક અગ્રણી પ્રાઈવેટ યુનિવર્સિટી છે, જે શહત દરે ગુણવત્તા યુક્ત શિક્ષાણ પ્રદાન કરે છે. તેની સ્થાપના સાર્વજનિક એજયુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવી છે. જે શિક્ષણ ક્ષેત્રે સમૂળ પરંપરા ધરાવતી એક ૧૧૩ વર્ષ જુની પ્રાચીન અને લોકશાહી પઘ્ધતિથી ચાલતી સંસ્થા છે. યુનિવર્સિટીમાં એન્જીન્યરીંગ, બિઝનેશ & મેનેજમેન્ટ, આર્કિટેક્ચર અને ઇન્ટીરીયર ડિઝાઈન, ડોમર્ચ, ફાઈન આટર્સ, લો, સાયન્ગ તથા હયુમેનિટીગ જેટલા વિવિધ વિષયોમાં બહુવિષયક શિક્ષણ પ્રબન ૮ ઘટક કોલેજો દ્વારા સંચાલિત થાય છે. હાલમાં સાર્વજનિક યુનિવર્સિટીમાં ૫૩ અંડર ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લો, પીસ્ટ ગ્રેજ્યુએટ તથા ડોક્ટોરલ કાર્યક્રમોમાં ૯, ૨૩૯થી વધુ વિદ્યાર્થીઓને સમાજની બદલાતી જરૂરીયાતોને ધ્યાનમાં રાખી શિક્ષણ પ્રદાન કરી રહી છે.

સાર્વજનિક યુર્નિવર્સિટી દ્વારા ચૌથો પદવીદાન સમારોહ શુકવાર, તા. ૨૩-૦૧-૨૦૨૬ના રોજ સાંજે : ૫-૦૦ કલાકે એમ.ટી.બી. ક્રિકેટ ગ્રાઉન્ડ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી કેમ્પસ, અઠવાલાઇન્સ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં અંડર ગ્રેજયુએટ (UG), પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) અને પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમાં (PGD)ના ૨,૧૧૪ વિદ્યાર્થીઓને અભ્યાસકમની ડિગ્રી આપવામાં આવશે. તેમજ શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન માટે ૫૩ ગોલ્ડ મેડલથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.

આ ભવ્ય સમારંભમાં જાણીતા પ્રતિષ્ઠિત શિક્ષણવિદ્ અને ઇન્ડિયન ઇન્સ્ટિીટ્યુટ ઓફ ફોરેન ટ્રેડ (IIFT)ના કુલપતિ ડૉ. રાકેશ મોહન જોશી – મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને પ્રસંગ અનુરૂપ સંબોધન કરશે.

સમારોહમાં ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યામમૂર્તિ (નિવૃત્ત) શ્રી રવિ આર. ત્રિપાઠી – અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

સમારોહ દરમ્યાન, ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે સુવર્ણ ચંદ્રડોથી સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાર્વજનિક યુર્નિવર્સિટીના માનનીય પ્રમુખ શ્રી આશિષ વડીલ, યુર્નિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડયા, ગર્વનિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેટમેન્ટના સભ્યો સહિત ઉપસ્થિત રહેશે.

આ મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બનવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ, યુનિવર્સિટીના શિક્ષકો અને સ્ટાફ સહિત ૨,૫૦૦થી વધુ લોકો હાજરી હોવાની સંભાવના છે. સાર્વજનિક યુનિવર્સિટીના શૈક્ષણિક પ્રવાસમાં આ પદવીદાન સમારોહ મહત્વપૂર્ણ સાબિત थशे.

You May Also Like